Return to site

“એક ઘર અનેકોનેવહેચ્યું

કિરીટનામા– ૧૭

· Gujrati

૧૨ મહિનાની જહેમત બાદ મહેશ પાટીલને ૨૩ લાખ ૫૦ હજાર રૂપિયા પાછા મળ્યા

Add paragraph text here.એકજ ઘર અનેકોને વહેચવું, ફસામણીકરવીઆવા અનુભવ અનેક લોકોને થાય છે.દીધેલા પૈસા પાછા મેળવવાએ મોટું "ભગીરથ" કાર્ય છે.આવોજ એક અનુભવ મહેશ પાટીલને તથા અમને થયો. મહેશ અને તેની પત્ની સોં. મયુરી પાટીલની ચિવટ, જિદ્દ અન્યાય સામેનો સંઘર્ષ, સતત ૧૮ મહિનાપાછળ પડ્યા પછી ૨૩ લાખ ૫૦ હજાર પાછા મળ્યા.

વાર્તા મહેશ પાટીલના સંઘર્ષની

  • મહેશ પાટીલ પરિવાર મુલુંડ પૂર્વમાં રહે છે.
  • મુલુંડ પૂર્વમાં તેમને પોતાને રહેવા માટે એક અલગ ફ્લેટ/ઘરલેવાનું નક્કી કર્યું. ભાવિની એન્ક્લેવ કો. ઓપ. હા. સોં.,મુલુંડ પૂર્વ સોસાયટીમાંત્યાં રહેતાંસાવંતનો ફ્લેટ ખરીદવાનો નિર્ણય કર્યો.
  • નક્કી કર્યાં પ્રમાણે મહેશે૨૩ લાખ ૫૦ હજાર રૂપિયા એડવાન્સ/ટોકનપેટે સાવંત પરિવારને આપ્યા.
  • તે માટેબેંકમાં ઘરકર્જની અરજી માટે જોઈતા કાગળપત્રોની માંગણી કરી.
  • સાવંત પરિવારપાસે પાટીલે ખરીદી પત્ર અને અન્ય જરૂરી દસ્તાવેજોની માંગ કરી. તેમને કેટલાક દસ્તાવેજો આપ્યા હતા.
  • બેંકને ભાવિની એન્ક્લેવ કો. ઓપ. હા.સોસાયટીનું ના હરકત પત્ર જોઈતું હતું. સાવંત પરિવારે અંત સુધી તે આપ્યું નહીં.
  • મહેશ પાટીલ ઘરકર્જ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે કોઈએ તેમને યાદ કરાવ્યું કે સાવંત પરિવારે આ ઘર ૨૦૧૬ માં વિવેક વિદ્યાધર પાટીલને વહેચ્યુંહતું.
  • શ્રી. વિવેક પાટીલને બેંક ઓફ ઇંડિયા ગિરગાવ શાખા દ્વારા ૯૦ લાખ રૂપિયાની લોન પણ મંજૂર કરવામાં આવી હતી.
  • ૧૭ મે,૨૦૧૬ના રોજ બેંક ઓફઇંડિયાગિરગાવ શાખા દ્વારા સાવંત પરીવારના ખાતામાં ૯૦લાખનો ચેક જમા કરાયો હતો.

બેંક ઓફ ઇંડિયાએ સાવંતને આપેલો ચેક

broken image

આશ્ચર્યની વાત એ છે કે, સાવંત પરિવારે વર્ષ ૨૦૧૬ માં તેની જગ્યા વિવેક વિદ્યાધર પાટીલને વેચી દીધી હતી. વિવેક પાટીલ અને સાવંતે મળીને આ દસ્તાવેજ બેંક ઓફઇંડિયા ગિરગાવ શાખાને સુપરત કર્યાં ને૯૦ લાખ રૂપિયા પણ લીધા,વિવેક પાટિલઘરકર્જ ના હપ્તા પણ થોડા મહિના ભરવા લાગ્યા.અહી સાવંતેપણઘરખાલીન કર્યું. વળી,વિવેક પાટીલે આગ્રહ પણ ન કર્યો. સાવંત અને વિવેક પાટીલે બેંક ઓફઇંડિયા પાસેથીઆવેલા પૈસાવહેચી લીધાં.આજ ઘર સાવંત પરિવારે મહેશ પાટિલને વેચવા અને છેતરવાનું નક્કી કર્યું.

        મહેશ પાટીલ પાસે થી૨૮ ઓગસ્ટ,૨૦૧૬ ના ૨૩ લાખ ૫૦ હજાર રૂપિયા એડવાન્સ રકમ પણ લીધી. બેંકમાંથી ઘરકર્જ કાઢવા માટે સહકાર આપવાનુંનાટક પણ કર્યું. જ્યારે મહેશ પાટીલે સોસાયટીનોના હરકત પત્ર (NOC)માંગ્યોત્યારે આ કારસ્થાન ધ્યાનમાં આવ્યુંહતું.

        આ દરમિયાન શ્રી. મહેશ પાટીલનેવિક્રોલી રજીસ્ટ્રેશન ઓફીસ માં આ ઘર વિવેક પાટીલને વહેચીતેનોખરીદીપત્ર થયો છે તેમ સમજાણું.

  • સાવંત પરિવારેઆ ઘર૧ કરોડ ૨૦ લાખમાં વિવેક પાટીલ ને વહેચું છે તેમ બતાવ્યું.
  • તેને લગતા કાગળપત્ર ખરિદીપત્રતથા રજીસ્ટ્રેશનનાબધાંજ દસ્તાવેજો(Documentation) કરવામાં આવ્યા હતાં.
  • મહેશ પાટીલ પાસેથી ૨૩ લાખ ૫૦ હજાર રૂપિયા લીધા પછી સાવંત પરિવારેઆજ ઘર વિનય મ્હાત્રે ને વેચવાની વાતો ચાલુ કરી હતી.
  • તે પરિવાર પાસેથી૧ લાખ રૂપિયાબાનાની રકમ પણ લીધી.
  • મહેશ પાટીલે પોતાની બીજી બેંકમાં ઘરકર્જ માટે અરજી કરી, તેની લોન મંજૂર થઈ. પરંતુ સાવંત પરિવાર તેમને જરૂરી દસ્તાવેજો સમયસર આપતા ન હતા.
  • તે સમયે મહેશ પાટીલને શંકા થઇ. તેમણે કહ્યું કે આપણો વ્યવહાર તુટ્યો.
  • સાવંતને આપેલા ૨૩ લાખ ૫૦ હજાર રૂપિયા પાછા માંગ્યા.
  • પરંતુ ઘણા દિવસો થયા તો પણ તેપૈસા આપતાનહોતા.
  • હવે માત્ર મહેશ પાટીલ ચિંતિત થયા. તે જ સમયે,તે મારી પાસે આવ્યા અને બધી પરિસ્થિતિઓને સમજાવી.

મહેશ પાટીલની અરજી

broken image

મેં તેમની અરજી સાથે બધી માહિતી લીધી અને તરત જ નીચેના અધિકારીઓને પત્ર લખીને અનુસરવાનું શરૂ કર્યું.

  • ડીસીપી પોલીસ,ઝોન VII,મુલુંડ
  • શ્રી.દીનબંધુમોહપાત્રા, મેનેજિંગ ડિરેક્ટર/સીઈઓ બેંક ઓફ ઇંડિયા
  • ઝોનલ મેનેજર,બેંક ઓફઇંડિયા
  • રજિસ્ટ્રાર સહકારી સંસ્થા
  • મેંજાતેબેંકઓફઇંડિયાનીગિરગાવશાખાનેસાવંતદ્વારાકરવામાંઆવેલછેતરપિંડીવિશેમાહિતિઆપીહતી.
  • બેંક ઓફ ઇંડિયાએ કહ્યું કે મહેશ પાટીલે શ્રી સાવંતને પૈસા ત્યારેઆપ્યા,જયારે વિવેક પાટીલનાફ્લેટના વેચાણ નો વ્યવહાર પૂરો થયો હતો. માટે બેંક જવાબદાર નથી.

બેંક ઓફ ઇંડિયાનો પત્ર

અમારી કઈપણ ભુલ નથી

broken image
  • દસ્તાવેજોની તપાસ કરવા ટાણેએજન્સીએ કંઈપણ ખોટું કર્યું નથી.તેવો જબાબબેંક ઓફઇંડિયાએ૮ મી માર્ચ,૨૦૧૮ ના એક પત્રમાં અમને જણાવ્યો અને આ મામલાને ટાળવાનો કરવાનો પ્રયાસ કર્યો હતો.
  • બેંક ઓફઇંડિયાના સ્થાનિક અધિકારીઓએ બનાવટી દસ્તાવેજો પર કંઈપણ તપાસ કર્યા વિના કર્જોઆપ્યોહતો. વિવેક પાટીલને કર્જ આપ્યા બાદ જે તેનીતપાસકરવીજોઈએ તે માટે બેંકે અવગણના કરી હતી.
  • વિવેક પાટીલેઘર કર્જના નામે બેંકમાં માંથી કર્જો લીધો છે તે બેંકનાઅધિકારીઓને ખબર હતી અથવા તેમણે દુર્લક્ષ કર્યું છે.
  • આવી રીતે બેંક માંથી કર્જો મળ્યા પછી કેટલા મહિનાઓ હપ્તાભરવાનાને પછી Defaulter થવાનુંઆ પ્રકારનુંકામકાજ હોય છે.
  • તેમાં સ્થાનિક અધિકારીઓની મદદ હોય છે.
  • આ કિસ્સામાં પણ સાવંત પરીવાર,વિવેક પાટિલ અને બેંક ઓફઇંડિયાના સ્થાનિક અધિકારીઓની સંમતિથી આ ડાવ રચાયો હતો. એટલે બેંકના અધિકારી, પોલીસ મને અને મહેશ પાટીલને મદદ કરતા હતા.
  • બેંક ની સંમતિથીઘરકર્જ લઈને ફ્લેટ લેવો અને એક્નોજ ફ્લેટ ૨ થી ૪ વ્યક્તિને બતાવવો, વેચવો, છેતરવું તેની પાસે થી અગાઉં રક્ક્મ (Advance) લેવી, આવું ગૈરકૃત્યસાવંત પરિવાર અને વિવેક પાટીલ તથા સ્થાનિક અધિકારીઓનું હતું.
  • આ ડાવ અમે પછાડી પાડ્યો, નિષ્પાપ/પ્રમાણિક મહેશ પાટીલને ન્યાય મેળવી આપ્યો.

ડિસેમ્બર ૨૦૧૬ માં પણસાવંતે શ્રી વિનય મ્હાત્રે સાથે પણ ફ્લેટ વેચાણ બાબત નો વ્યવહાર કર્યો હતો અને તેની પાસેથી ટોકન રૂપે ૧ લાખ રૂપિયા લીધા હતા. તે પણ તેમને હજી સુધી આપ્યા નથીએવી તકરાર મુલુંડ પોલીસ સ્ટેશનમાં લખેલ છે.

આથી સાબિત થયું કે સાવંતે કુલ ત્રણેયની છેતરપિંડી કરી હતી.

  • સાવંતે સોસાયટીના નામે બનાવટી NOC બનાવીને વિવેક પાટીલને આપી.
  • વિવેક પાટીલે જુન ૨૦૧૬ ના સાવંતને આપણો વ્યવહાર થશે નહી તેવી માહિતી આપી હતી.
  • બેંક પાસે થી પૈસા મળ્યા પછી બે મહિના માંજ સાવંત પરીવાર અને વિવેક પાટીલે ખરીદી વ્યવહાર રદ્દ થયો એવો કરાર (Agreement) કર્યો.
  • સાવંત પરિવારે વિવેક પાટીલ વિરુધમુલુંડ પોલીસ સ્ટેશનમાંવિવેક પાટીલે સોસાયટીમાં બોગસ કાગળપત્રો તૈયાર કર્યાં તેવીફરિયાદ કરી પણ તેની જાણ બેંક અને સોસાયટીને કરી ન હતી.
  • તેથી તે મુળ દસ્તાવેજો સાથે વિવેક પાટીલ અને સાવંત પરીવારે ડાવ રચેલો અને સાવંતનો ફ્લેટ વેચાતો લેવા માટે બેંક ઓફઇંડિયા માંથીઘરકર્જ ૯૦ લાખ રૂપિયા લીધાં અને આઈસીઆઈસીઆઈ બેંકમાં સાવંતના ખાતામાં જમા કર્યા. તેમાંથી ૫૦ લાખ રૂપિયા સાવંતના અને ૪૦ લાખ રૂપિયા વિવેક પાટીલના એમ વૈચી લીધા.
  • આ પ્રકારનો પત્ર સાવંતે સીટી સિવિલ કોર્ટ નં. ૩૭ માંરજૂકર્યો.
  • સાવંતે વિવેક પાટિલ પાસેથી૫૦ લાખ રૂપિયાનો વ્યક્તિગત કર્જોલીધોહતો૫% નાવ્યાજે.તેના બદલે ફ્લેટ ગિરવીહતો.
  • તે પછી તરતજ૧૬ જૂન,૨૦૧૬ ના ફ્લેટ ન જોઈતા,સાવંતનેપૈસાપાછાદેવા માટે પત્ર લખ્યો અને આ ફ્લેટપરમારો અધિકાર રહ્યો નથી. અનેતમે કોઈને પણ તે વેચી શકો એવા બનાવટી કાગળપત્રો પણ તૈયાર કર્યા.
  • મહેશ પાટીલ અને હું,પોલીસ અધિકારી,બેંક ઓફઇંડિયાના વ્યવસ્થાપકીય સંચાલક, બેંક ઓફઇંડિયાના મુખ્ય દક્ષતા અધિકારી (Chief Vigilance Officer) તેમજ બેન્કિંગ મિનિસ્ટર (ભારત સરકાર) પાસે ફોલોઓપ કર્યો. મહેશ પાટીલનીફસવણુંક/છેતરપિંડીસાવંત દ્વારા થઇ છેતેમજ સાવંત પરિવાર, વિવેક પાટીલ અને બેંક ઓફ ઇંડિયાના સ્થાનિક અધિકારીઓ વિરુદ્ધ કારવાઈથવીજોઈએ એવો અમારો પ્રયત્ન રહ્યો.
  • આ રીતે, વિવિધ પોલીસ અધિકારીઓ,બેંક ઓફ ઇંડિયાના પ્રમુખ અધિકારીઓ પાસે સતત પાછળ પડીઅંતે સિટી સિવિલ કોર્ટ નંબર ૩૭ એ નિકાલ આપ્યો.
  • ૧૮ ફેબ્રુઆરી,૨૦૧૯ ના સાવંતે મહેશ પાટિલને ૨૩ લાખ ૫૦ હજાર રૂપિયા પાછા આપ્યા.
  • આ બધા પ્રકરણમાં બેંક ઓફઇંડિયાના મુખ્ય દક્ષતા અધિકારી શ્રી. દેવેન્દ્ર શર્માએ ઘણી મદદ કરી.

બેંક ઓફ ઇંડિયાના મુખ્ય દક્ષતા અધિકારીનો પત્ર  ઘોટાળો થયો હોવાનું માન્ય

broken image
  • જે બેંક ઓફ ઇંડિયાએ૮ માર્ચ, ૨૦૧૮ ના પત્રદ્વારે અમારી કંઈપણ ભુલ નથી એવું કહીને સાવંત પરીવાર,વિવેક પાટીલ તેમજ બેંક ના ઘોટાળાબાજ અધિકારીઓનેછાવરવાનો પ્રયત્ન કર્યો હતો, તેજ બેંક ઓફ ઇંડિયાના મુખ્ય દક્ષતા અધિકારીએ (Chief Vigilance Officer)ઘોટાળો થયો હોવાનું માન્ય કર્યું, કારવાઈ કરવાનું નિર્દેશદીધોને મહેશ પાટીલને ન્યાય મળે તેવી કારવાઈ માટે બેંક ઓફ ઇંડિયાને આદેશ આપ્યો.
  • તેમને અમારી/મહેશ પાટીલની ફરિયાદ દર્જ કરી લીધી.
  • બેંકના જનરલ મેનેજરેને ફસવણુંકની તપાસ માટે આદેશ આપ્યો.
  • બેંકના મુખ્ય દક્ષતા અધિકારી શ્રી. દેવેન્દ્ર શર્માએ પણ ફસવણુંકથવાનું માન્ય કરી તુરંતજ તપાસનો આદેશ આપ્યો. બેંકને ગિરગાંવ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવા પણ નિર્દેશ આપવામાં આવ્યો.
  • ગિરગાવ પોલીસે બેંક ઓફ ઇંડિયાના દક્ષતા અધિકારીના આદેશપ્રમાણેસંબંધિતોપર તકરાર દાખલ કરી લીધી.
  • ગિરગાવ પોલીસે તપાસ શરૂ કરી ભાવિની એન્ક્લેવ કો. ઓપ. હા. સો,મુલુંડ પૂર્વનો સવંતનો ફ્લેટ બેંક ઓફઇંડિયા પોલીસોની મદદથી જપ્ત કરવાની કારવાઈહાથધરી.
  • અંતે મહેશ પાટીલને ન્યાય અને ફ્લેટના પૈસા મળ્યા અને પોલીસોની મદદથી ગુન્હેગારી/ફૌજદારીકારવાઈ પાર પડી.

મહેશ પાટીલ પોતાના પત્ની સાથેમળીને મારો આભાર માનવા લાગ્યા, તેમણે કહ્યું...

“સાહેબ, તમે અમારી પાછળ ઉભા રહ્યા તેથી આ શક્ય થયું, નહીંતોઅન્યથા તે મુશ્કેલ હતું.”